જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા તરીકે કાર્યદક્ષ, કર્તવ્યનિષ્ઠ અને કડક અધિકારીની છાપ ધરાવતા સુબોધ ઓડેદરા નિમણુંક
દૂરબીન – જૂનાગઢ તા.30 મે 2025 જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા એ રાજીનામુ આપ્યા પછી જૂનાગઢ DSP ની જગ્યા ઘણા સમયથી ખાલી હતી, જોકે સરકારે પોરબંદરના DSP ભગીરથસિંહ જાડેજાને ચાર્જ સોંપેલો હતો, પરંતુ જયારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં જયારે વિધાનસભાની પેટ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સરકારે હવે જૂનાગઢમાં કાયમી ધોરણે સુબોધ ઓડેદરાની DSP તરીકે નિમણુંક છે. ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ અને સંવેદનશીલ ગણાતી એવી વિસાવદરની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહે અને આચાર સહિતનો ચુસ્ત અમલ થયા તે માટે કાર્યદક્ષ, કર્તવ્યનિષ્ઠ અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા સુબોધ ઓડેદરા ની જિલ્લા પોલીસ વડા તરીકે સરકારે નિમણુંક કરી છે.
DSP સુબોધ ઓડેદરા નો ટૂંકો પરિચય મહેર સમાજ ના સૌથી પહેલા ડીએસપી બનવાનું ગૌરવ સુબોધ ઓડેદરાને ફાળે જાય છે. તેઓ ૨૦૦૫માં જીપીએસસીની સીધી પરીક્ષા પસાર કરી મહેર સમાજના સૌથી પહેલા ડાયરેક્ટ ડીવાયએસપી બનવાનું બહુમાન પણ તેઓએ જ મેળવેલ. ત્યાર પછી તેની ઉત્કૃષ્ઠ કામગીરીની કદર કરીને સરકારે તેઓ બઢતી આપીને સીધાજ મોરબી જિલ્લાના ડીએસપી તરીકે જવાબદારી સોંપી હતી. મોરબીમાં ઉત્કૃષ્ઠ અને નોંધનીય કામગીરી કરનાર DSP સુબોધ ઓડેદરાની જૂનાગઢના DSP તરીકે નિમણુંક થતા જૂનાગઢ પોલીસ વિભાગ કડક અધિકારીનું સ્વાગત કરવા થનગની રહ્યું છે.
પિતા સ્વ.રામદેવભાઈ ઓડેદરા એ પણ ડીવાયએસપી તરીકે સેવાઓ આપી હતી મૂળ પોરબંદર જિલ્લાના ફટાણા ગામના વાતની DSP સુબોધ ઓડેદરા ના પિતાનું નામ રામદેવભાઈ ઓડેદરા. માતાનું નામ હીરાબેન છે. સ્વ. રામદેવભાઈ અત્યારે હયાત નથી પરંતુ તેઓએ પણ ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે સેવાઓ આપી હતી. સુબોધ ઓડેદરા ની પિતા શ્રી રામદેવભાઈ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા, અને ત્યાર પછી પ્રમોશન મેળવીને ૨૦૦૨માં ડીવાયએસપી બન્યા હતા અને છેલ્લે છોટાઉદેપુરથી નિવૃત થયા હતા. સ્વ. રામદેવભાઈ મહેર સમાજ કેળવણી ઉત્કર્ષ મંડળ (અમદાવાદ-ગાંધીનગર) ના પ્રમુખ તરીકેની સેવાઓ પણ આપી હતી.
અથાક મહેનત કરીને ૨૦૦૫ જીપીએસસીની પરીક્ષા પાસ કરી DSP સુબોધ ઓડેદરા ને ૩ ભાઈઓ છે. એક નાના ભાઈ ડૉ. બ્રિજેશ ઓડેદરા હાલ સુરત ખાતે હોસ્પિટલ ધરાવે છે, જયારે બીજા નાના ભાઈ સંજય ઓડેદરા એ પણ જીપીએસસી પાસ કરી ને ડાયરેક્ટ મામલતદાર બન્યા હતા પરંતુ તેઓ હાલ લંડન (યુ.કે.) સ્થાયી થયા છે. સુબોધભાઈએ મોટાભાગનો અભ્યાસ અમદાવાદમાં કર્યો છે. દશમા ધોરણમાં તેઓને ૮૦ ટકા અને બારમા ધોરણમાં ૬૫ ટકા માર્ક્સ હતા. આ પછી તેઓએ અમદાવાદની જીએલએફ કોલેજમાંથી આર્ટસ ગ્રેજયુએશન કર્યું. વર્ષ ૨૦૦૦માં જીપીએસસી પરીક્ષાની જાહેરાત આવી અને તેમાં અરજી કરી અને પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી. આ માટે તેઓએ એક લક્ષ્ય નક્કી કરી ખુબ જ મહેનત શરુ કરી અને પરીક્ષામાં સામેલ થયા. એ વખતે આજની જેમ તરત જ રીઝલ્ટ ના આવતું, એ પરીક્ષાનું પરિણામ છેક ૨૦૦૫ માં આવ્યું પણ સુબોધભાઈએ જીપીએસસીની એ પરીક્ષા પાસ કરીને જ્વલંત સફળતા મેળવી હતી.
આજે જયારે કાર્યદક્ષ, કર્તવ્યનિષ્ઠ અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા સુબોધ ઓડેદરા ની જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક થતા દૂરબીન પરિવાર સ્વાગત કરે છે અને અનેક અનેક શુભેચ્છા પાઠવીએ છીએ.